
કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં આજે એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવની મોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકા લાવવામાં આવ્યા છે. શ્રીલંકાના 78મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે આ અવશેષોનું આગમન થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.
રાજ્ય સન્માન સાથે ભવ્ય સ્વાગત
ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા આ પવિત્ર અવશેષો કોલંબો પહોંચ્યા હતા.
