
PM Poshan Yojana: પીએમ પોષણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે ‘સેન્ટ્રલાઇઝ કિચન’ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. કુપોષણ સામે લડત લડવાનો ધ્યેય રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલાઇઝ કિચન ખોરંભે ચડ્યો છે. મહત્ત્વની વાત એછેકે, ખુદ મુખ્યમંત્રીએ જ નહીં, નાણાં મંત્રાલયે મંજૂરી આપી હોવા છતાંય પ્રોજેક્ટ આગળ ધપતો નથી. આદિવાસી અને બિન આદિવાસી વિસ્તારના લાખો ગરીબ વિદ્યાર્થીઓના મોઢામાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી પરિણમી છે.
પ્રોજેક્ટને આખરી ઓપ છતાં નિર્ણય નહીં
