
Devayat Khavad Case: લોક ડાયરા કલાકાર દેવાયત ખવડને ગુજરાત હાઈકોર્ટ હંગામી રાહત આપી છે. ચાંગોદર બબાલ કેસમાં ખવડ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે 23 ફેબ્રુઆરી સુધી સરેન્ડર કરવાની તારીખ લંબાવી છે. જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે અરજદાર પ્રખ્યાત નહીં, પરંતુ કુખ્યાત છે અને માથાભારે છે. જે બાદ 9 ફેબ્રુઆરી સુધી ધરપકડથી રક્ષણ આપવામાં આવ્યું હતું, આજે ફરી સુનાવણી થતાં હવે 23 ફેબ્રુઆરી સુધી દેવાયત ખવડની ધરપકડ પર રોક (સરેન્ડર કરવાની તારીખ વધારી) લગાવી દેવામાં આવી છે.
અમદાવાદ કોર્ટે દેવાયત ખવડના શરતી જામીન કર્યા છે રદ
