
Nalsarovar Bird Sanctuary: અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 270 જેટલી વિવિધ પ્રજાતિઓની 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ છે.
કેવી રીતે કરાઇ પક્ષી ગણતરી?
આ ગણતરી પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર અભયારણ્યને 50 સર્વે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.
