
Accident In Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં શુક્રવારની (13મી ફેબ્રુઆરી) સવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 પર બલેશ્વર પાટિયા નજીક એક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી
મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષા ફંગોળાઈને ઊંધી વળી ગઈ હતી અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
