વડોદરા,અણખોલ ગામ નજીકથી પસાર થતી ડ્રેનેજ લાઇન ચોકઅપ થતા તેની સફાઇ કામગીરી થઇ રહી હતી. આજે બપોરે એક વાગ્યે સફાઇ કામગીરી માટે અંદર ઉતરેલો શ્રમજીવી બેભાન થઇ જતા તેને બચાવવા ઉતરેલો કોન્ટ્રક્ટર પણ બેભાન થઇ ગયો હતો. બંનેેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓના મોત થયા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના અણખોલ ગામ પાસેથી જતી ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાથી તેની કામગીરી માટે આજે સવારે કોન્ટ્રાક્ટર વિપુલ મનસુખભાઇ માંગરોલીયા (રહે. શિવમ રેસિડેન્સી, નિકોલ, અમદાવાદ) એક શ્રમજીવી અક્ષય શનાભાઇ ભાભોર, ઉ.
