
Ahmedabad Crime News: અમદાવાદના શહેરમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં અસામાજિક તત્ત્વોએ બેફામ બની રહીશો પર હુમલો કરતા ભયનો માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે છે.
લુખ્ખા તત્ત્વોએ રહીશો સાથે ઝઘડો કર્યો
મળતી માહિતી અનુસાર, હાથીજણ વિસ્તારમાં દ્રશ્ય ગોસ્વામી નામના વ્યક્તિ અને તેના સાગરિતોએ શનિવારે (14મી ફેબ્રુઆરી) ધર્મવાટિકા સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો.
