
Ahmedabad News: અમદાવાદના સિંધુભવન રોડ પર હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં કાર રેન્ટલનો વ્યવસાય કરતા કિરપાલસિંહ ગોળ પર ઘુવડ ગેંગના 15થી 20 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ભોગ બનનારનો આક્ષેપ છે કે અગાઉની માથાકૂટમાં સરખેજ પોલીસે કડક પગલાં લેવાને બદલે સમાધાન કરાવ્યું હતું, જેના કારણે બીજા દિવસે ફરીથી હુમલો થયો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ ભોગ બનનાર દ્વારા પોલીસની કામગીરી અને કલમો ઉમેરવા બાબતે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે અંગે પોલીસે જણાવ્યું છે કે, ડોક્ટરના રિપોર્ટને આધારે વધુ કલમ ઉમેરીશું.
બે હોર્ન માર્યા તેમાં ઝઘડો કર્યો
