Ankleshwar: અંકલેશ્વર ને. હાઇવે પર ચક્કાજામ 5 કિ.મી. સુધીનો ટ્રાફિકજામ સર્જાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • બિસમાર હાલતના કારણે ટ્રાફ્કિજામની પરિસ્થિતિ સર્જાઈ
  • આમલાખાડી બ્રિજ ઉપર મસમોટા ખાડા પડયા, વાહનોની કતારો જોવા મળી
  • અંકલેશ્વર નેશન હાઇવે પર વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા જોવા મળે છે.

ભરુચ જીલ્લામાં ભારે વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસમાર જોવા મળતા ટ્રાફ્કિજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

આજરોજ ફરી અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોટા ખાડાઓને પગલે સુરત તરફ્ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફ્કિજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. જ્યારે વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી છે તેવામાં જિલ્લા ટ્રાફ્કિ પોલીસ જવાનો આમલાખાડીના બ્રિજ પાસે ખડેપગે ટ્રાફ્કિ મેનેજ કરતાં નજરે પડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમલાખાડી બ્રિજ ઉપર પડેલ ખાડાઓનું યોગ્ય પુરાણ કરવામાં આવે તે જરૂરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *