બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન BRICS સમિટમાં ભાગ લેવા ભારત નહીં આવે. વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરે તેની પુષ્ટિ કરી છે. ગુરુવારે પત્રકારોએ રહેમાનના સમિટમાં ભાગ લેવા અંગે સવાલ પૂછ્યો. કબીરે કહ્યું, અમારા વડાપ્રધાનને તો આમંત્રણ મળ્યું નથી. આમંત્રણ BIMSTECના ચેરમેનને મળ્યું છે. BRICS સમિટ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે. તેમાં ઘણા દેશોના નેતાઓ ભાગ લેશે. BRICનું સભ્ય નથી, છતાં પણ BIMSTEC ચેર તરીકે આમંત્રણ બાંગ્લાદેશ BRICSનું સભ્ય નથી. ભારતે BIMSTEC ના વર્તમાન અધ્યક્ષ તરીકે તારિક રહેમાનને BRICS સમિટના આઉટરીચ સેશનમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. BIMSTEC દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનું પ્રાદેશિક સંગઠન છે. તેમાં ભારત અને બાંગ્લાદેશ પણ સામેલ છે. સંગઠનનો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે વેપાર, કનેક્ટિવિટી, સુરક્ષા અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. BRICS આઉટરીચ બેઠક શું હોય છે? ભારત કયા દેશોને બોલાવે છે? ઓગસ્ટમાં પણ રહેમાનનો ભારત પ્રવાસ ટળ્યો હતો આ બીજી વાર છે જ્યારે તારિક રહેમાનની ભારત યાત્રા ટળી છે. આ પહેલા તેમને 22 ઓગસ્ટે ભારત આવવાનું હતું, પરંતુ પ્રવાસ પહેલા જ આ કાર્યક્રમ રદ થઈ ગયો હતો. તે સમયે બાંગ્લાદેશે ભારત સમક્ષ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને દેશો વચ્ચે આ મુદ્દાને લઈને પહેલેથી જ તણાવ ચાલી રહ્યો છે. હવે બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરે કહ્યું છે કે સરકાર તારિક રહેમાનની અલગ દ્વિપક્ષીય ભારત યાત્રાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું, જ્યારે માહોલ યોગ્ય હશે, ત્યારે દ્વિપક્ષીય મુલાકાતો થશે. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. હસીનાની પ્રેસ કોન્ફરન્સ પછી ભારત-બાંગ્લાદેશમાં તણાવ વધ્યો ખરેખર, 5 ઓગસ્ટે શેખ હસીનાએ દિલ્હીમાં વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અવામી લીગ સરકારના સત્તા પરથી હટવાની બીજી વર્ષગાંઠ પર પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને બાંગ્લાદેશના રાજકારણ પર પણ પોતાનો મત રજૂ કર્યો હતો. આના પર બાંગ્લાદેશ સરકારે સખત વાંધો ઉઠાવ્યો. ઢાકાનું કહેવું હતું કે ભારતમાં રહેતા હસીનાનું જાહેરમાં રાજકીય નિવેદન આપવું બંને દેશોના સંબંધોને સામાન્ય બનાવવાની કોશિશોને નુકસાન પહોંચાડી શકે છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ અંગે ભારતને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ભારતે તેમને આ પ્રેસ કોન્ફરન્સ કરવાની મંજૂરી આપી. ઉલ્લેખનીય છે કે ભારતે શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સ રોકવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતે કહ્યું હતું કે તેમનો કાર્યક્રમ એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. આમાં સરકારનો કોઈ સંબંધ નથી.
BRICS સમિટમાં ભારત નહીં આવે બાંગ્લાદેશી PM રહેમાન:બાંગ્લાદેશે કહ્યું- વડાપ્રધાન તરીકે આમંત્રણ મળ્યું ન હતું; બીજી વખત ભારતની મુલાકાત રદ થઈ
📅 Published: September 11, 2026 |
📂 Category: International
