Chhota Udaipur News : સંખેડામાં ઢાઢર નદી બે કાંઠે વહી, કન્ટેશ્વર-કાળી તલાવડી કોઝવે 7 ફૂટ પાણીમાં ગરકાવ!

📅 Published: September 13, 2026 | 📂 Category: gujarati-news

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ભારે વરસાદના પગલે ઢાઢર નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના લીધે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને કન્ટેશ્વર અને કાળી તલાવડી ગામ વચ્ચે આવેલો મુખ્ય કોઝવે નદીના વહેતા ધસમસતા પ્રવાહમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે.

6 થી 7 ફૂટ પાણી ફરી વળતાં શનિવાર સાંજથી સંપર્ક કપાયો

ઢાઢર નદીમાં પાણીની આવક સતત વધતાં કન્ટેશ્વર-કાળી તલાવડી કોઝવે પર આશરે 6 થી 7 ફૂટ જેટલાં પાણી ફરી વળ્યાં છે. ગત શનિવાર સાંજથી જ પાણીનું સ્તર અતિશય વધી જતાં બંને ગામો વચ્ચેનો સીધો માર્ગ સંપર્કવિહોણો બની ગયો છે. કોઝવે પરથી પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકી ગયો છે અને સ્થાનિક રહીશો તથા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

સુરક્ષાના ભાગરૂપે અવર-જવર બંધ

કોઝવે પર 6 થી 7 ફૂટ જેટલું ભારે પાણી વહી રહ્યું હોવાથી કોઈ જાનહાનિ કે અકસ્માત ના સર્જાય તે માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા આ રસ્તેથી થતી અવર-જવર પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. જ્યાં સુધી ઢાઢર નદીમાં પાણીનું સ્તર ઓછું ન થાય અને કોઝવે પરથી પાણી સંપૂર્ણપણે ઉતરે નહીં ત્યાં સુધી આ રસ્તે વાહનો કે પદયાત્રીઓની અવર-જવર બંધ જ રહેશે. તંત્ર દ્વારા આસપાસના ગ્રામજનોને જોખમી રીતે કોઝવે ઓળંગવાનો પ્રયાસ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Amreli News : જાફરાબાદ બંદર પર અચાનક કેમ લગાવાયું 3 નંબરનું ભયસૂચક સિગ્નલ? દરિયાકાંઠે મોટી આફતના એંધાણ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *