Janmashtami 2026 : આજે રાત્રે આ 45 મિનિટ રહેશે ખાસ! જાણો શ્રીકૃષ્ણ જન્મોત્સવનું શુભ મુહૂર્ત

📅 Published: September 4, 2026 | 📂 Category: Bhakti

જન્માષ્ટમીને કૃષ્ણાષ્ટમી, ગોકુલાષ્ટમી, કૃષ્ણ જયંતિ, શ્રીકૃષ્ણ જયંતિ, યદુકુલાષ્ટમી અને અષ્ટમી રોહિણી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આ પર્વ ઉજવાય છે. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે જન્માષ્ટમીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. પંચાંગ અનુસાર, આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભક્તો ઉપવાસ રાખે છે અને રાત્રે ભગવાનના જન્મ સમયે પૂજા કરીને જન્મોત્સવ ઉજવે છે. લડ્ડુ ગોપાલને પંચામૃતથી સ્નાન કરાવી સુંદર વસ્ત્રો, મુકુટ અને આભૂષણોથી શણગારવામાં આવે છે. ત્યારબાદ તેમને સુંદર ઝૂલામાં બેસાડીને ઝુલાવવામાં આવે છે.

જન્માષ્ટમી 2026નું શુભ મુહૂર્ત

શ્રાવણ કૃષ્ણ અષ્ટમીની તિથિ 4 સપ્ટેમ્બરના રોજ 2:25 વાગ્યે શરૂ થઈ છે અને 5 સપ્ટેમ્બરની રાત્રે 12:13 વાગ્યે પૂર્ણ થશે. આજે શ્રીકૃષ્ણની પૂજા માટે રાત્રે 11:57થી 12:42 વાગ્યા સુધીનો સમય શુભ માનવામાં આવે છે. એટલે કે ભક્તોને પૂજા માટે કુલ 45 મિનિટનો સમય મળશે.

Janmashtami Puja Muhurat

આ જ સમયગાળા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ ઉજવવામાં આવશે. શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હોવાની ધાર્મિક માન્યતા છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર રાત્રે 12:29 વાગ્યે શરૂ થઈ ચૂક્યું છે અને આજે રાત્રે 11:04 વાગ્યે તેનું સમાપન થશે.

જન્માષ્ટમીની પૂજા સામગ્રી

લડ્ડુ ગોપાલની પૂજા અને શણગાર માટે ભગવાનની મૂર્તિ, ઝૂલો, નવા વસ્ત્રો, મુકુટ, વાંસળી, મોરપિચ્છ, ચંદન, રોલી, અક્ષત, દીવો, ધૂપ, કપૂર અને તાજા ફૂલોની જરૂર પડે છે.

ભગવાનના અભિષેક માટે પંચામૃત તૈયાર કરવામાં આવે છે, જેમાં દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળનો સમાવેશ થાય છે. ભોગ માટે માખણ-મિશ્રી, ધાણાની પંજરી, ઋતુફળ અને મીઠાઈ તૈયાર કરવામાં આવે છે. ભોગમાં તુલસીના પાનનો સમાવેશ કરવો પણ શુભ માનવામાં આવે છે.

આ રીતે કરો લડ્ડુ ગોપાલની પૂજા

જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને સાત્વિક રહેતા ઉપવાસનો સંકલ્પ લો. ત્યારબાદ પૂજાસ્થળ અને મંદિરને સારી રીતે સાફ કરીને સજાવો અને લડ્ડુ ગોપાલ માટે સુંદર ઝૂલો તૈયાર કરો.

મધ્યરાત્રિના શુભ સમયે સૌપ્રથમ લડ્ડુ ગોપાલને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરીને ફરી સ્વચ્છ જળથી સ્નાન કરાવો. ભગવાનને નવા વસ્ત્રો પહેરાવી મુકુટ, વાંસળી, મોરપિચ્છ અને ચંદનથી સુંદર શણગાર કરો. ત્યારબાદ તેમને ઝૂલામાં બેસાડીને આરતી કરો અને માખણ-મિસરી સહિત મનપસંદ ભોગ ધરાવી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરો.

આ પણ વાંચો: Janmashtami 2026: શ્રીકૃષ્ણનું અનોખું મંદિર! જ્યાં માખણ-મિસરી નહીં, માટીના પેડાનો ભોગ ધરાવાય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *