Surat: તાપી બ્રિજ પરથી નદીમાં કૂદી આત્મહત્યા કરવા જતા સગીરને ટ્રાફિક પોલીસે બચાવ્યો, કારણ જાણીને ચોંકી જશો

📅 Published: September 5, 2026 | 📂 Category: Surat

સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસની એક અત્યંત પ્રશંસનીય અને સરાહનીય કામગીરી સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ સ્થિત તાપી નદીના બ્રિજ પરથી આત્મહત્યા કરવા જઈ રહેલા એક સગીરને પોલીસે સમયસર પહોંચીને નવજીવન આપ્યું છે. સમયસૂચકતા દાખવીને સગીરનો જીવ બચાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.

ઘરકંકાસના કારણે મનદુઃખ થતાં આવેશમાં આવી ગયો 

મળતી માહિતી મુજબ, ઘરકંકાસના કારણે મનદુઃખ થતાં આવેશમાં આવી ગયેલા એક સગીરે કામરેજના તાપી નદીના બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 

વુમન લોકરક્ષક પિંકલ તખતસિંહની નજર પડી

આ દરમિયાન બ્રિજ પરથી પસાર થઈ રહેલા સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસના વુમન લોકરક્ષક પિંકલ તખતસિંહની નજર કૂદવાનો પ્રયત્ન કરી રહેલા સગીર પર પડી હતી. તેમણે સહેજ પણ વાર કર્યા વિના તાત્કાલિક દોડી જઈને સગીરને પકડી લીધો હતો અને બ્રિજ પરથી નીચે કૂદતા અટકાવ્યો હતો.

પોલીસે સગીરનું કાઉન્સેલિંગ કર્યું

આત્મહત્યાનો પ્રયાસ કરનાર સગીરની પ્રાથમિક પૂછપરછમાં પરિવારમાં થયેલા ઘરકંકાસના કારણે આ પગલું ભરવા જઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સગીરનું કાઉન્સેલિંગ કરી તેને સાંત્વના આપી હતી. ત્યારબાદ આગળની જરૂરી કાર્યવાહી અને વાલી-વારસોને સોંપવા માટે સગીરને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.  

આ પણ વાંચો :     Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *