
Ahmedabad News : અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ધનવાડા ગામેથી રહસ્યમય રીતે ગુમ થયેલા 4 વર્ષના માસૂમ બાળક ધાર્મિક રાહુલભાઈ વાટુકિયાનો મૃતદેહ મળી આવ્યો છે. સાયકલ લઈને રમવા નીકળેલો ધાર્મિક ઘર પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. પોલીસે પણ વિવિધ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
કેવી રીતે શરૂ થઈ શોધખોળ?
બપોરના સમયે ધાર્મિક પોતાની નાનકડી સાયકલ લઈને ઘરની બહાર રમવા નીકળ્યો હતો.
