
Ahmedabad News : અમદાવાદ શહેરની સ્થાપના વખતથી બિરાજતા નગરદેવી ભદ્રકાળી માતાજી હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે 614 વર્ષ પછી શરૂ થયેલી પરંપરા અનુસાર સતત બીજા વર્ષે માતાજીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂના શહેરમાં ૬.૨૫ કિમીના રૂટ પર આવતા પ્રાચીન મંદિરો પાસેથી નગરયાત્રા પસાર થશે.
પરંપરાગત રૂટ પરથી નિકળશે યાત્રા
