
જુવારના ખરીફ પાકમાં ઘટાડાથી ભાવ ઘંઉથી બમણાં ગુજરાતમાં ઘંઉનો પાક લેવામાં ઉત્સાહ વધ્યો,વિક્રમી વાવેતર થયું જેના પગલે જુવારના વાવેતર ઘટતા મહત્વનું મિલેટ મોંઘુ
રાજકોટ, : આરોગ્ય પ્રતિ જાગૃત લોકો હવે મિલેટ્સને રોજિંદા ભોજનમાં સ્થાન આપી રહ્યા છે જેમાં જુવાર મુખ્ય છે. બીજી તરફ કૃષિ વાવેતરમાં તેનાથી વિપરીત ટ્રેન્ડ જોવા મળ્યો છે અને ,જુવારનું વાવેતર ઘટવા સાથે ઘંઉમાં મોટો વધારો થયો છે. જેની અસર ભાવ ઉપર જોવા મળી છે. યાર્ડમાં ટુકડા ઘંઉના ભાવ ગત વર્ષે 600ને પાર હતા તે આ વર્ષે સીઝન પૂર્વે ઘટીને પ્રતિ મણ 500-530 અને લોકવન ઘંઉ તો રૂ।. 495થી 510ના ભાવે સોદા થઈ રહ્યા છે ત્યારે જુવારના ભાવ રૂ।.
