Gulf investment in India : કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટેની વાતચીત ફરી શરૂ થવા જઈ રહી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે ભારતે તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે મહત્વપૂર્ણ વ્યાપારિક કરારો કર્યા છે.
GCC એ છ ખાડી દેશોનું સંગઠન છે, જેમાં સઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે. પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત અને આ દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો લગભગ 5000 વર્ષ જૂના છે. હાલમાં, લગભગ 1 કરોડ ભારતીયો આ દેશોમાં રહી રહ્યા છે અને ત્યાંની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આ કરારનો ઉદ્દેશ્ય વસ્તુઓ અને સેવાઓના મુક્ત પ્રવાહને વધારવો, રોકાણને પ્રોત્સાહિત કરવું અને નીતિઓમાં સ્થિરતા લાવવાનો છે.
