
– 25-25 હજારના જામીન અને તેટલી રકમના જાત જામીન રજૂ કરી તમામ શખ્સો જેલમુક્ત થયા
– મહુવા કોર્ટે ત્રણ અલગ-અલગ અરજીમાં શરતી જામીન પર છોડવા હુકમ કર્યો
ભાવનગર : બગદાણાના બહુચર્ચિત અને બહુ વિવાદીત કેસમાં જેલમાં રહેલો જયરાજ ભમ્મર અને અન્ય પાંચ શખ્સના મહુવા કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.
બગદાણામાં રહેતા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલધિયા ઉપર સવા માસ પૂર્વે હુમલા કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં ડાયરા કલાકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ ભમ્મર મુખ્ય કાવતરાખોર હોવાના આક્ષેપ સાથે કોળી સમાજ દ્વારા ન્યાય માટે સતત લડત ચલાવી હતી અને તેના પરિણામ સ્વરૂપ એસઆઈટીએ કરેલી જીણવટભરી તપાસમાં આઠ હુમલાખોર ઉપરાંત જયરાજ આહિર અને અન્ય છ શખ્સોની સંડોવણી બહાર આવી હતી.
