બોટાદનો ઢાકણીયા રોડ બે વર્ષથી બિસ્માર:વાહનચાલકો પરેશાન, તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

બોટાદ શહેરનો ઢાકણીયા રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ માર્ગ શહેરના વિહાવાવ, તુલસીનગર, આઈટીઆઈ કોલેજ જેવા વિસ્તારો તેમજ ઢાકણીયા, નાગલપર, તુરખા સહિતના ગામોને જોડે છે. મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોવા છતાં, રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ આ માર્ગ પરથી દરરોજ પસાર થતા વિદ્યાર્થીઓ, કામદાર વર્ગ અને રત્ન કલાકારો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદ દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બને છે, જેના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા તંત્ર અને રાજકીય નેતાઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, અત્યાર સુધી કોઈ સમારકામ કે નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. આના પરિણામે, લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ તાત્કાલિક રસ્તો નવો બનાવવા અથવા તેનું સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *