રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદના ભીમદાડ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારત રત્ન પુરસ્કારના મુદ્દે કોંગ્રેસની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જાડેજાએ જણાવ્યું હતું કે, ગાંધી પરિવારના સભ્યો જેવા કે રાજીવ ગાંધી, ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરુને જીવતા જીવ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, કોઈ પણ કોંગ્રેસી નેતાએ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને આ સન્માન આપવા અંગે ચિંતા કરી ન હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગાંધી પરિવારે અને કોંગ્રેસે ક્યારેય એવું નથી ઈચ્છ્યું કે સરદાર પટેલ જેવા વિરલ વ્યક્તિત્વની નામના સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઉપલબ્ધિ સ્થાપિત કરી શકે. રીવાબા જાડેજાના આ તીખા પ્રહારોએ ફરી એકવાર ભારત રત્ન પુરસ્કાર સંબંધિત રાજનીતિને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.
બોટાદમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા:સરદાર પટેલને ભારત રત્ન પુરસ્કારના મુદ્દે કોંગ્રેસની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
