
– બોટાદ જિલ્લાના રાણપુરના જાળીલા ગામનો બનાવ
– પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ, બે ઘેટાના મૃતદેહ પીએમ માટે મોકલ્યા
બોટાદ : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ઘેટાના વાડામાં ૮ શ્વાનોએ ઘુસીને ૪૧ ઘેટાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. બનાવના પગલે પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.મૃતક ઘેટાં પૈકી બે ઘેટાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.
