
Maha Shivratri 2026 Special, Junagadh: મહા શિવરાત્રિનો પર્વ હોય અને ગિરનારની તળેટીમાં ભવનાથના મેળામાં દિગંબર સાધુઓના દર્શન ન થાય તે અશક્ય છે. આ સાધુઓના શરીર પર ભસ્મની સાથે સૌથી વધુ આકર્ષક કોઈ વસ્તુ હોય તો તે છે ‘રુદ્રાક્ષ’. ભવનાથમાં ઉમટતા સાધુઓ માટે રુદ્રાક્ષ એ માત્ર કોઈ શોભાનું સાધન નથી, પરંતુ તેમના જીવન અને અઘોર સાધનાનું એક અભિન્ન અંગ છે.
પૌરાણિક ઉત્પત્તિ: શિવના નેત્રોમાંથી સર્જન
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે જ્યારે લાંબા સમયની સમાધિ બાદ પોતાની આંખો ખોલી, ત્યારે તેમના નેત્રોમાંથી પૃથ્વી પર આંસુના ટીપાં પડ્યા હતા.
