
– ચાલુ વર્ષે ઘઉંનો બમ્પર પાક થવાની આશા
– ગયા વર્ષે ખાનગી ધોરણે ઘઉંનું સ્ટોરેજ 75 લાખ ટન હતુ અને એફસીઆઈ પાસે પહેલી એપ્રિલ 2026ના રોજ 182 લાખ ટન પુરવઠો હશે
નવી દિલ્હી : સરકારે શુક્રવારે ૨૫ લાખ ટન ઘઉંની અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે. તેની સાથે સરકારે ઘઉં અને ખાંડના ઉત્પાદનોના નિકાસની પણ છૂટ આપી છે. સ્થાનિક બજારોમાં પુરવઠો સ્થિર રાખવા અને ઘઉંનો જથ્થો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની બાબતને ધ્યાનમાં રાખતા ખેડૂતોને સારું વળતર મળે તે હેતુથી આ છૂટ આપવામાં આવી છે.
