
વાહન પ્રવેશબંધીના લીધે પ્રથમ દિવસે લોકોની પાંખી સંખ્યા : અન્નક્ષેત્રો- ઉતારા ધમધમતા થયાં : સાધુ-સંતોએ ધૂણા પ્રજ્વલ્લિત કર્યા : મેળામાં પ્રથમવાર યોજાયેલી ડમરૂયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની
જૂનાગઢ, : જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં આજે સવારે શુભમુહૂર્તમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે જ પાંચ દિવસના મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો હતો અને સમાંતરે અન્નક્ષેત્ર, ઉતારાઓ ધમધમતા થઈ ગયા હતા. સાધુઓએ ધૂણા પ્રજ્વલ્લિત કર્યા છે. હવે તા. 15 સુધી સુધી મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાશે. આ વખતે વાહન પ્રવેશબંધીના લીધે આજે પ્રથમ દિવસે લોકોની પાંખી હાજરી રહી હતી.
