
– તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં કાલથી બે દિવસ પાણી નહીં મળે
– શુક્રવારે વર્ધમાનનગર, દિલબહાર, બોલયોગીનગર ઇએસઆર હેઠળના વિસ્તારમાં પાણીના ધાંધીયા
ભાવનગર : મહી પરીએજ (જીડબલ્યુઆઈએલ) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે આગામી તા. ૬ થી તા. ૮ ફેબુ્રઆરી-૨૦૨૬ સુધી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાયેલ હોવાથી ભાવનગર શહેરને મળતો પાણી સપ્લાય અનિયમિત રહેશે, જેના પગલે આગામી શુક્રવાર અને શનિવારનાં રોજ તરસમિયા ફિલ્ટર આધારીત ઘણા વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.
