Bharuch: જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા તાલીમ શિબિર યોજાઈ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તથા વિકાસ કેન્દ્ર તેમજ નિયોજન કેમિકલ કંપનીના સહયોગથી બે દીવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાંચ ગામોમાં સ્વચ્છતા સમિતિના સભ્યો જેમાં ગામના સરપંચ, સખી મંડળની બહેનો તથા ગ્રામ પંચાયતના સભ્યોને ઘન કચરાના વ્યવસ્થાપન યુનિટ -અતુલ ફઉન્ડેશન, વલસાડ ખાતે એક્સપોઝર વિઝીટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 જેમાં વાગરા તાલુકના ગામોમાં ઘન કચરાના વ્યવસ્થાપન યોગ્ય રીતે અમલીકરણ થાય તે માટે પ્રત્યક્ષરૂપે ઘન કચરાનો યોગ્ય રીતે વ્યવસ્થાપન તથા તેના નિકાલ થાય અને ઘરેલું સ્થળ જ કચરો સૂકો અને ભીનો કચરાનું વર્ગીકરણ થાય તથા જુદા-જુદા પ્રકારના કચરા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વાગરા તાલુકાના ગામોમાં ઉપરોક્ત રીતે અમલીકરણ થાય તે માટે એક્સપોઝર વિઝીટમાં 54 તાલીમાર્થીઓ જોડયા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *