STT વધારા બાદ તાત્કાલિક F&O પ્રતિબંધોને સેબી ચેરમેને નકાર્યા

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized

મુંબઈ : નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટ ૨૦૨૬માં ડેરિવેટિવ્ઝ ટ્રાન્ઝેકશન પર સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) વધારવાનું જાહેર કર્યા બાદ, તાજેતરમાં સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે ડેરિવેટિવ્ઝ બજાર પર યથાવત સ્થિતિનું પાલન કરવામાં આવશે. ડેટા-આધારિત અભિગમનો સંકેત આપતી વખતે કોઈપણ તાત્કાલિક નિયમનકારી હસ્તક્ષેત્રની અપેક્ષાઓ ઓછી રહેશે.

સેબી ચેરમેને વધુ જણાવ્યું હતું કે, જ્યારે આપણે , એક નિયમનકાર તરીકે ડેરિવેટિવ્ઝ બજારો પર નજર કરીએ છીએ, ત્યારે આપણે ડેટાના આધારે ખૂબ જ પદ્વતિસરની રીતે કરીએ છીએ. પાંડએ એક પ્રશ્ન અને જવાબના સત્ર દરમિયાન જણાવ્યું હતું કે, હાલ, અમે કોઈ પગલાં લેવાનું વિચારી રહ્યા નથી, અને અમે જે પણ માળખું મૂક્યું છે, તે ચાલુ રહેશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *