
Maha Shivratri 2026: મહા શિવરાત્રિના પાવન દિવસે આજે(15 ફેબ્રુઆરી) રાજ્યમાં શિવમંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જૂનાગઢના ગિરનાર, સોમનાથ, અમદાવાદ, સુરત સહિતના તીર્થસ્થાને ભાવિકો ભગવાન શિવની આરાધના કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનારની પવિત્ર તળેટીમાં શિવ-શક્તિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ ‘મહા શિવરાત્રિ મેળા’માં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
રાજ્યના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
રાજ્યના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે.
